A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

રફાલ સોદામાં અનિલ અંબાણીને રૂ. 30 હજાર કરોડ કેમ આપ્યા? : રાહુલ

news

તેલંગાણામાં ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં રાહુલ ગાંધી અને ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં કોંગ્રેસે ક્યારનીય સ્પષ્ટતા કરી દીધી છે. હવે રાફેલ સોદા મુદ્દે વડાપ્રધાન જવાબ આપે કે, તમે અનિલ અંબાણીને રૂ. ૩૦ હજાર  કરોડ કેમ આપ્યા હતા? રાહુલ ગાંધીએ ઉ. પ્રદેશ અને કેન્દ્ર સરકારને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, યોગી-મોદીના રાજમાં બુલંદશહેરમાં એક પોલીસ અધિકારીની હત્યા થઈ એ અત્યંત શરમજનક છે. મને આશ્ચર્ય થાય છે કે, યોગી આદિત્યનાથની સરકારમાં પોલીસના આ હાલ છે, તો સામાન્ય માણસ કેટલો આતંક અનુભવતો હશે! (ANN NEWS)

1959 Days ago