ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગુજકોસ્ટના ઉપક્રમે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓ માટે આવતીકાલે 30મીએ કારકિર્દી માર્ગદર્શન આપવા વેબીનાર યોજાશે.
શનિવારે સવારે 10 વાગે ગુજકોસ્ટની વેબસાઈટ ઉપર યોજાનાર આ વેબીનારમાં ભાગ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન નોંધણી કરાવવી પડશે.આ વેબીનારમાં નિષ્ણાંતો દ્વારા મેડિકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી સહિત વિવિધ ક્ષેત્રે રહેલી તકો અંગે માર્ગદર્શન અપાશે.
વેબીનારમાં IIT ગાંધીનગરના પ્રોફેસર ભાસ્કર દત્તા મૂળભુત વિજ્ઞાન ક્ષેત્રે થતા સંશોધન અંગે જાણકારી આપશે.ઈસરો સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડોક્ટર પારૂલ પટેલ, એન્જીનીયરીંગ તથા ટેકનોલોજી ક્ષેત્રની તકો અંગે વિગતો આપશે.
વિદ્યાર્થીઓ પોતાને મુંઝવતા પ્રશ્નો વેબીનાર-ડોટ-ગુજકોટ-એડધી રેટ-જી-મેઈલ-ડોટ-કોમ ઉપર મોકલી શકશે.વેબીનારના અંતે યોજાનાર પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ મોકલેલા પ્રશ્નોની ચર્ચા કરાશે. (AIR NEWS)