A part of Indiaonline network empowering local businesses

અમદાવાદ ડિવિઝનની 13 જેટલી ટ્રેનો 21મી ફેબ્રુઆરી સુધી રદ.

news

પશ્વિમિ રેલવેના અમદાવાદ ડિવિઝનની 13 જેટલી ટ્રેનો 21મી ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે.
મહેસાણા - જગુદણ સ્ટેશનો વચ્ચે રેલવે લાઇન ડબલ કરવાની થઈ રહેલી કામગીરી અને મહેસાણા ખાતે યાર્ડ રિમોડલિંગની કામગીરીના લીધે 13 ટ્રેનો 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે.
જેમાં જોધપુર - સાબરમતી એક્સપ્રેસ, સાબરમતી - મહેસાણા સ્પેશલ, મહેસાણા - આબુરોડ સ્પેશલ, મહેસાણા - પાટણ સ્પેશલ, મહેસાણા - વિરામગામ સ્પેશલ અને સાબરમતી પાટણ સ્પેશયલ ટ્રેનોનો સમાવેશ થાય છે. (AIR NEWS)

296 Days ago