કેન્દ્ર સરકારે 15મી જુલાઈથી 75 દિવસ સુધી, 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આજે મંત્રીમંડળની આર્થિક બાબતોની પેટા સમિતિએ આ નિર્ણય કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે, મંત્રીમંડળે વડોદરાની રેલવે નેશનલ એકેડેમીમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની સ્થાપનાને પણ મંજૂરી આપી છે, અને તેમાં તાલીમી કર્મચારીઓને આધુનિક ટેકનોલોજી સહીત તાલીમ અપાશે. (AIR NEWS)