આંધ્રપ્રદેશ, આસામ, નાગાલેન્ડ, હિમાચલપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા ચંદીગઢમાં 9થી 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્યનો સ્વૈચ્છિક ધોરણે આરંભ થશે.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે અનલોક લોકના ચોથા તબક્કામાં આજથી શાળાઓમાં શિક્ષણ કાર્ય ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી હતી. જોકે તેમણે શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવું કે નહીં ? તેનો નિર્ણય કરવાની સત્તા રાજ્યોને આપી હતી.
દરમિયાન કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને દિલ્હી ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોએ આજથી શાળામાં શિક્ષણ કાર્ય શરૂ નહિં કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે 50 ટકા શિક્ષકો અને શાળાના અન્ય ક્મચારીઓની હાજરીમાં ધોરણ-9થી 12ના વર્ગો સ્વૈચ્છિક ધોરણે આજથી શરૂ કરવાની પરવાનગી આપી હતી. (AIR NEWS)