A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

CBSEએ ધોરણ-12ના પરિણામોને આખરી ઓપ આપવાની શાળાઓ માટેની સમયમર્યાદા 25મી જુલાઈ કરી

news

ઉચ્ચત્તર શિક્ષણ માટેના કેન્દ્રીય બોર્ડ – CBSEએ ધોરણ-12ના પરિણામોને આખરી ઓપ આપવાની શાળાઓ માટેની સમયમર્યાદા 25મી જુલાઈ કરી છે.
અગાઉ નિર્ધારીત સમયપત્રક મુજબ આ સમયમર્યાદા આજે પૂરી થવાની હતી.
સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, જે શાળા નિર્ધારીત સમયમાં મોડરેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે નહીં, તેમના પરિણામો અલગથી જાહેર કરાશે.
CBSE બોર્ડે ધોરણ-12ના ખાનગી પરીક્ષાર્થીઓની પરીક્ષા આગામી 16મી ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર દરમ્યાન લેવાનો નિર્ણય લીધો છે. (AIR NEWS)

1001 Days ago