અમદાવાદના ટાગોર હોલ ખાતે નગર પ્રાથમિકશિક્ષણ સમિતિ અમદાવાદનો શતાબ્દી મહોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહચૂડાસમાએ જણાવ્યું હતું કે, વ્યક્તિના જીવન ઘડતરનો પાયો શિક્ષકના હાથમાં છે. શિક્ષણમંત્રી શ્રીચૂડાસમાએ ખાનગી શાળાની હરિફાઈમાં સરકારી શાળાને આગળ આવવા અનુરોધ કર્યો હતો. તેમજ આપ્રયાસ માટે દરેક શિક્ષકોને કાર્યશીલ રહેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલબેનપટેલે જણાવ્યું હતું કે, આગામી એક વર્ષમાં તમામ શાળા સંકુલોને શાળાઓના નંબરને બદલે વિરલવિભૂતિઓના નામે સંકુલની નામકરણ વિધિ કરાશે. તેમજ અમદાવાદ શહેરના વિદ્યાર્થિઓનેઆધુનિક ટેકનોલોજી સભર શિક્ષણ મળી રહે તે માટે 100 કરોડ રૂપિયાના ખર્ચે દસ હાઇટેકશાળાઓની શરૂઆત કરવામાં આવશે.
દસ હાઇટેક શાળાઓ સિવાય બીજી 15 નવીશાળાઓ અને 83 શાળાઓનું નવીનીકરણ એમ 100 નવી શાળાઓ બનાવાશે. તેમજ 14થી 15 કરોડરૂપિયાના ખર્ચે નવીન સ્કૂલ ભવનનું નિર્માણ કરાશે.
શતાબ્દી મહોત્સવ પ્રસંગે લોગોનુંઅનાવરણ, શતાબ્દી મહોત્સવ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિદર્શન, સર્વશ્રેષ્ઠએસએમસીનું સન્માન, શ્રેષ્ઠ સફાઈ કર્મીનું સન્માન, સ્કૂલ બોર્ડના ત્રણ હજાર, સાતસોજેટલા શિક્ષકોને એક કેબી ડેટાના સંગ્રહ સાથે માય ફેર આઈકાર્ડ આપવામાં આવ્યા હતા.સાથોસાથ નવનિયુક્ત વિદ્યાસહાયકોને નિમણૂંક ઓર્ડર પણ એનાયત કરવામાં આવ્યા હતા. (AIR NEWS)