ખાંભાપંથક માં આવેલા રાયડી ગામે બંધ પડેલી શાળા ના મકાન માં બે સિંહ બાળ ઘૂસી આવતાગામલોકો માં ભય ફેલાયો હતો અને જંગલ ખાતા ને તાબડતોબ જાણ કરવામાં આવી હતી. અમારાપ્રતિનિધિ જણાવે છે કે બંધ શાળા ની નજીક આવેલી નવી શાળા માં આશરે 130 વિદ્યાર્થીઓમૌજૂદ હોવાથી તેમના વાલીઓ ચિંતિત બન્યા હતા ને પોતાના બાળકો ને સલામત બહાર લાવવામાટે ત્યાં એકઠા થયા હતા. જંગલ ખાતા ની ટુકડી એ સમયસર ત્યાં પહોચી ને ગામવાસીઓનેધરપત આપી હતી અને સિંહ બાળ ને બહાર કાઢી પાછા જંગલ તરફ મોકલવા તજવીજ કરી હતી. (AIR NEWS)