અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરમાં ભૂગર્ભ ગટર યોજનાના પ્રથમ તબક્કા નું ઈ - ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સંપન્ન થયું. ૧૨૪ કિલોમીટર લંબાઈ ધરાવતા ભૂગર્ભ ગટર પ્રોજેકટ નો ખર્ચ ૬૯.૮૪ કરોડ રૂપિયા થશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે રાજ્યની બધી જ મ્યુનિસિપાલટીમાં ભૂગર્ભ ગટર યોજના, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ૧૦૦ ટકા નલ સે જલ જેવુ માળખું ઊભું કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે.
તેમણે ઉમેર્યું હતું કે કે કોરોના સંક્રમણ વચ્ચે પણ વિકાસ ગતિ મંદ પાડવા દીધી નથી અને કોરોના કાળમાં પણ ૧૧ હજાર કરોડના ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત કામો કર્યા છે. આ પ્રસંગે તેમણે ૧૮ કરોડના ખર્ચે નિર્મિત ૧૩૮ રૂમના કુમાર છાત્રાલય બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંતર્ગત ૨ કરોડ લાખ ૯૯ લાખના નવા ભવન અને ૧.૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘેટા બકરા સેવા કેન્દ્રનો પણ આરંભ કરાવ્યો હતો. (AIR NEWS)