શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએજણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજયની વિવિધ યુનીવર્સીટીઓ હસ્તકની કોલેજોમાંઅભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે જ. પરંતુ યુજીસી ધ્વારાપરીક્ષાઓ અને અન્ય બાબતો અંગે નિર્ણય લેવા માટે નિષ્ણાંત સભ્યોની સમિતિના સુચનોઅને ભલામણો અનુસાર પરીક્ષાઓ અંગેની માર્ગદર્શિકા રાજય સરકાર ધ્વારા જાહેર કરવામાંઆવશે અને તે મુજબ પરીક્ષાઓ લેવામાં આવશે.
આજે કોરોના કોવિડ-૧૯ ના સંદર્ભમાંરાજયની સરકારી તથા ખાનગી યુનિવર્સીટીઓએ લોકજાગૃતિ અને કોરોનાથી જરૂરી રક્ષણ મેળવવાસંદર્ભે કરેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગર ખાતે યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાંશિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.
યુનીવર્સીટીઓની પરીક્ષાઓ અંગેશિક્ષણમંત્રીએ કુલપતિઓને એમ પણ જણાવ્યું હતું કે, ભારત સરકારના માનવ સંશાધન વિકાસમંત્રાલયે યુનીવર્સીટીઓની પરીક્ષા યોજવા બાબતે માર્ગદર્શિકા નકકી કરવા જેટાસ્કફોર્સની રચના કરી છે તેના માર્ગદર્શન પ્રમાણે પરીક્ષા સંદર્ભે આપણે આગળવધવાનું રહેશે. કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ કઇ રીતે લેવી તેનાસુચનો સત્વરે મોકલી આપવા માટે પણ શિક્ષણ મંત્રીએ કુલપતિઓને અપીલ કરી હતી.
આ વીડીયો કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રીશ્રીમતી વિભાવરી બહેન દવે એ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે, આપણે માટે આઆપત્તિને અવસરમાં પલટાવવાનો સમય છે. આ સમયમાં આપ સૌ સહીત રાજયના શિક્ષણ વિભાગેટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી કાર્ય કર્યુ છે તેનું પરીણામઆપણને આગામી દિવસોમાં મળશે જ.
અગ્ર સચિવ શ્રી ઉચ્ચશિક્ષણ શ્રીમતીઅંજુ શર્મા તથા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી નટરાજને પણ વીડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિતરહીને માર્ગદર્શન આપ્યું હતું. (AIR NEWS)