આરોગ્ય મંત્રાલયે ચીનમાં કોરોના વાયરસના વાવરને ધ્યાનમાં લઇને ચીનનો પ્રવાસ નહી કરવા નાગરીકોને સુચના આપી છે. એવી જ રીતે ચીનથી આવેલા લોકોને તેમના આરોગ્ય ઉપર સતત નજર રાખવાની સુચના અપાઇ છે. દેશભરના ર૧ વિમાન મથકોએ ચીનથી આવેલા મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલયે બધાજ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના સંભવિત ખતરા સામે કરાયેલી સજજતાની સમીક્ષા કરી હતી.
આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કોરોના વાયરસનો એક પણ કેસ દેશમાં નોંધાયો નથી. પુણે ખાતેની રાષ્ટ્રીય વાયરોલોજી સંસ્થામાં મોકલવામાં આવેલા શંકાસ્પદ કોરોના વાયરસના ર૭ સેમ્પલોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. દરમિયાન ભારતે હુબેઇ પ્રાંતમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવા બે વિમાન ઉડૃયનો કરવા દેવાની ચીનની મંજુરી માંગી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ચીનમાં કોરોના વાયરસના કારણે ૧૩ર લોકોના મોત થયા છે અને સમગ્ર વિશ્વમાં કોરોનાના છ હજાર જેટલા કેસો નોંધાયા છે. (AIR NEWS)