A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રવિ ઋતુના પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી.

News

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રવિ ઋતુના પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે.
મસૂર, રાયડો અને સરસવના ભાવમાં ક્વિન્ટલ દીઠ 400 રૂપિયા વધારવામાં આવ્યા છે, જયારે ચણામાં પ્રતિ ક્વિન્ટલ 130 રૂપિયા અને સુર્યમૂખીમાં પ્રતિ ક્વિન્ટલ 114 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ઘઉંના ટેકાના ભાવ 40 રૂપિયા વધીને પ્રતિ ક્વિન્ટલ 2 હજાર 15 રૂપિયા અને જવ 35 રૂપિયા વધીને 1 હજાર 635 રૂપિયા કરવામાં આવ્યા છે.
આ નિર્ણયથી પાક ઉત્પાદક ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવો મળી રહે તે સુનિશ્ચિત કરશે. આ વધારો 2018-19 ના કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાતને અનુરૂપ છે.
તેમાં સરકારે અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન કિંમતના ઓછામાં ઓછા દોઢ ગણા ભાવ નક્કી કરવાની જાહેરાત કરી હતી અને તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને પાકના વાજબી ભાવ આપવાનો છે. (AIR NEWS)

950 Days ago

Video News