આસામમાં ભારે પૂરથી હજુ કોઈ રાહત નથી. રાજ્યમાં 20 જિલ્લામાં અંદાજે બે લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત છે.
પાક અને પ્રાથમિક સુવિધાઓને ઘણું નુકસાન પહોંચ્યુ છે. ઘણા સ્થળોએ સડકો તૂટી ગઈ છે. અંદાજે 33 હજાર લોકો હજુ રાહત શિબિરમાં રહે છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આવશ્યક ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજ્યના મંત્રીઓ પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે (AIR NEWS)