રાજ્યો અને રાજ્યની વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન પ્રોત્સાહન આપવા માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હાલમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” અભિયાન ચાલે છે. 10મી ફેબ્રુઆરીથી શરુ થયેલું આ અભિયાન 18 દિવસ સુધી ચાલનાર છે, જેમાં ગુજરાતનું જોડીદાર રાજ્ય છત્તીસગઢ છે ત્યારે છત્તીસગઢને કેન્દ્રમાં રાખી રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. અમદાવાદ ની સરકારી પોલિટેક્નિક દ્વારા આ અભિયાન હેઠળ આજે છત્તીસગઢ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આંબાવાડી પોલિટેક્નિકના પ્રિન્સિપાલ પી.એમ.પટેલે જણાવ્યું કે આ ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા છત્તીસગઢની શાકાહારી વાનગીઓ બનાવીને અમદાવાદના લોકોને પીરસવામાં આવશે (AIR NEWS)