A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

એનડીએફબી ના ચાર જુથોના સભ્યો ગુવાહાટીના કાર્યક્રમમાં તેમના શસ્ત્રો મુકીને આત્મસમર્પણ કરશે

news

આસામમાં બોડોલેંડ માટેના રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચો – એનડીએફબી ના ચાર જુથોના સભ્યો આજે ગુવાહાટીમાં યોજાનાર એક કાર્યક્રમમાં તેમના શસ્ત્રો મુકીને આત્મસમર્પણ કરશે. આસામના મુખ્ય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને નાણાં મંત્રી હેમંત બિસ્વા શર્મા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે એનડીએફબીએ તાજેતરમાં દિલ્હી ખાતે કેન્દ્ર અને આસામ સરકાર સાથે ત્રી-પક્ષીય શાંતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર મુજબ બોડોલેંડ વિસ્તારના વિકાસ માટે આગામી ત્રણ વર્ષમાં એક હજાર પ૦૦ કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાશે. (AIR NEWS)

1538 Days ago