કાશ્મીર ખીણમાં કલમ 370 રદ કરતા પહેલા ગત 3 ઓગસ્ટથી બંધ રખાયેલ રેલવે ટ્રેન સેવા આજથી ફરીથી શરૂ કરાશે. ગઇકાલે શ્રીનગરથી બારામુલ્લા સુધી પ્રાયોગીક ધોરણે ટ્રેન ચલાવવામાં આવી હતી.
ઉત્તર રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, આ માર્ગ ઉપર નિયમિત ટ્રેન સેવા આજથી શરૂ થશે. તેમણે કહ્યું કે, શ્રીનગરથી બનીહાલ સુધીની ટ્રેન સેવા ટૂંક સમયમાં શરૂ કરાશે. (AIR NEWS)