કેન્દ્ર સરકારે રાજ્ય આપત્તિ પ્રતિભાવભંડોળ SDRF માંથી રાજ્ય દ્વારા ઉપયોગમાં લેવાતા ભંડોળની મહત્તમ મર્યાદા 35 ટકા હતી તેવધારીને 50 ટકા કરી છે.
કોવિડથી સૌથી વધુ અસરગ્રસ્ત છ રાજ્યોનામુખ્યમંત્રીઓ અને આરોગ્યમંત્રીઓ સાથે ગઈકાલે વીડિયો માધ્યમથી યોજાયેલી બેઠકમાંપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોવિડથી સૌથીવધુ અસરગ્રસ્ત રાજ્યો કોવિડનો અસરકારક રીતે સામનો કરી શકે તે હેતુથી આ નિર્ણયલેવાયો છે.
તેમણે કોવિડના કેસો ઝડપથી શોધીને તેમનેસારવાર આપી શકાય તે હેતુથી પરીક્ષણો વધારવા દવાઓની આંતરરાજ્ય હેરફેર સરળ બનાવવાનુંસૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેશના કોવિડનાકુલ કેસ પૈકી 63 ટકાથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, દિલ્હી, ઉત્તરપ્રદેશ તથાતમિલનાડુ આ છ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા છે.
આ બેઠકમાં સંબંધિત રાજ્યોમાં કોવિડસામેની લડતના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. (AIR NEWS)