કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બર્ડફ્લૂ ફેલાતો રોકવા તાત્કાલિક પગલા ભરવા જણાવ્યું છે.
હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કેરાલા અને અન્ય કેટલાંક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા બાદ કેન્દ્ર એ આ મુજબ જણાવ્યું છે.
કેન્દ્રએ ચેતવણી આપી છે, આ બર્ડ ફ્લૂ માનવી તથા અન્ય પાલતુ પશુ-પક્ષીઓમાં ફેલાઈ શકે છે.
પર્યાવરણ મંત્રાલયે રાજ્ય સચિવોને લખેલા પત્રમાં આ બિમારીના લક્ષણો ઓળખવા પક્ષીઓ પર નિરીક્ષણ રાખવા જણાવ્યું છે.
મંત્રાલયે ICMRના ભોપાલ સ્થિત પશુરોગ રાષ્ટ્રીય સંસ્થાનના અહેવાલને ટાંકતા જણાવ્યું કે, પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં પક્ષીઓમાં ફેલાતા HSN1 વાયરસ જોવા મળ્યો છે. (AIR NEWS)