કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં પાંચમો રાજ્ય અન્ન સુરક્ષા સૂચકાંક બહાર પાડ્યો. આ યાદી અન્ન, સુરક્ષા અને ભારતીય ધારાઘોરણ સત્તામંડળ- FSSAI દ્વારા વાર્ષિક આકારણી દર્શાવે છે. તેમાં છ અન્ન સુરક્ષા ધારાધોરણ હેઠળ વિવિધ રાજ્યોના દેખાવનું વિશ્લેષણ દર્શાવાય છે. આ પ્રસંગે વિવિધ શ્રેણીમાં વિજેતા રાજ્યોને પારિતોષિકો એનાયત કર્યા. તેમાં વિશાળ રાજ્યોમાં કેરળ, પંજાબ અને તમિળનાડુને તેમજ નાના રાજ્યોની શ્રેણીમાં ગોવા, મણિપુર અને સિક્કીમને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા. કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં જમ્મુ-કાશ્મીર, ચંડીગઢ અને દિલ્હીને ઇનામ મળ્યા.
પ્રાસંગિક પ્રવચનમાં ડો. માંડવિયાએ કહ્યું કે, સ્વસ્થ અન્ન દ્વારા સારું સ્વાસ્થય જાળવી શકાય. તેમણે કહ્યું કે, દેશભરમાં એકસો આરોગ્યપ્રદ ખાદ્ય ગલીઓ વિકસાવાશે અને તે સરકાર દ્વારા પ્રાયોજીત હશે. (AIR NEWS)