કોરોનાના લીધે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે અન્ય દેશોમાં અટવાયેલા એક હજાર, 958 જેટલા ગુજરાતીઓ ગઈકાલ સુધીમાં ભારત પાછા ફર્યા છે.મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, અમેરિકાથી135, કુવૈતથી 146, ફીલીપાઇન્સથી 155, ઇંગ્લેન્ડથી 303, કેનેડાથી 176, બેલારૂસથી102, એસ્ટ્રેલિયાથી 217 તથા અન્ય દેશોમાંથી એક હજાર 958 જેટલા ગુજરાતીઓ સ્વદેશ પાછા ફર્યા છે.
એવી જ રીતે આવતીકાલે અને 31મી મે નારોજ યુએઈથી, 30 મી એ ઓમાન અને કતારથી, પહેલી જૂને કુવૈતથી તથા 8મી જૂને યુકેથી ખાસવિમાન દ્વારા એક હજાર, 869 ગુજરાતીઓ પાછા ફરશે. ઉલ્લેખનીય છે કે, વિવિધ દેશોમાં અભ્યાસ, વેપાર કે અન્ય હેતુથી ગયેલા અને કોરોનાના લીધે ત્યાં અટવાયેલા ભારતીયોનેવંદે ભારત મીશન હેઠળ સ્વદેશ લાવવામાં આવે છે. (AIR NEWS)