કેન્દ્ર સરકારે કોવિડના રસીના પરિક્ષણ માટે પૂણે અને હૈદરાબાદ ખાતે બે કેન્દ્રીય ઔષધ પ્રયોગશાળાઓ શરૂ કરી છે.
વિજ્ઞાન અને ટેકોનોલોજી મંત્રાલયની યાદી મુજબ પુણેમાં કોષ વિજ્ઞાન અંગેના રાષ્ટ્રીય કેન્દ્રમાં અને હૈદરાબાદમાં એનિમલ બાયોટેકનોલોજી ઈન્સ્ટીટ્યૂટ ખાતે બે પ્રયોગશાળાઓ શરૂ કરાઈ છે.
સુચિત પ્રયોગશાળાઓમાં કોવિડની રસીઓની ગુણવત્તાનું પરિક્ષણ થશે.
ઉલ્લેખનિય છે કે, અત્યારે કોવિડની રસીના પરીક્ષણની સુવિધા કસૌલીમાં સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીમાં જ ઉપલબ્ધ છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે, પીએમ કેર ફંડમાંથી મળેલી સહાયના લીધે પુણે અને હૈદરાબાદ ખાતે ટૂંક સમયમાં અદ્યતન પરિક્ષણ સુવિધાવાળી પ્રયોગશાળાઓનો આરંભ કરી શકાયો છે. (AIR NEWS)