ગુજરાત સરકારે અમદાવાદ GMDC ખાતે 900 બેડની DRDO કોવિડ હોસ્પિટલ શરૂ કરવાકેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે, સૂચિત હોસ્પિલમાં કોવિડના દર્દીઓ માટે ઓક્સિજન અને અન્ય સુવિધાઓ હશે.
અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે, રાજ્ય સરકારે કોવિડના વધતા કેસને ધ્યાનમાં લઈને મહત્ત્વના નિર્ણયો કર્યા છે.જેમાં એપ્રિલ તથા મે મહિનામાં ધાર્મિક તથા સામાજિક સમારંભો ઉપરપ્રતિબંધ મૂક્યો છે. બધા જ ધાર્મિક સ્થળો આગામી 30મી એપ્રિલ સુધી બંધ રહેશે. બધી જસરકારી અને ખાનગી કચેરીઓના 50 ટકા કર્મચારીઓ સાથે કામગીરી કરવાની રહેશે. લગ્ન સમારંભમાંવધુમાં વધુ 50 જણાને મંજૂરી અપાશે. (AIR NEWS)