રાજ્યસભામાં ખાલી પડતી ગુજરાત ની ચાર સહિત 17 રાજ્ય ની કુલ 55 બેઠક માટે 26 મી માર્ચે ચુંટણી યોજાશે . ચુંટણી પંચે બહાર પડેલા સમય પત્રક પ્રમાણે માર્ચ ની 6 તારીખે જાહેરનામું બહાર પડ્યા બાદ 13મી તારીખ થી ઉમેદવારી પત્ર ભરી શકશે અને તેને પરત ખેંચવાની તારીખ 18 માર્ચ રહેશે. મતદાન અને મત ગણતરી એમ બંને 26 માર્ચે જ યોજાશે.
ગુજરાતમાથી ચૂંટાયેલા જે ચાર સભ્યોનો કાર્યકાળ નવમી એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે તેમાં ભાજપ ના ત્રણ અને કોંગ્રેસ ના એક સભ્ય નો સમાવેશ થાય છે. ભાજપ ના સભ્યો માં ચુનીભાઈ ગોહિલ , શંભુ પ્રસાદ ટૂંડિયા અને લાલસિંહ વાડોદીયા નો સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસ તરફ થી મધુસૂદન મિસ્ત્રિ નિવૃત થઈ રહ્યા છે. (AIR NEWS)