રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પાંચ કરોડ, 24 લાખ, 28 હજાર, 148 લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ એક લાખ, 74 હજાર, 377 વ્યક્તિઓ કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં એક હજાર, 619 જેટલા આરોગ્ય કર્મીઓ અને પ્રથમ હરોળના કર્મીઓને જ્યારે એક લાખ, 25 હજાર, 913 જેટલા 18થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં સતત વધારો નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થવાનો દર 98.76 ટકા નોંધાયો છે. રાજ્યમાં ગઈકાલે કોવિડ-19 ના 17 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 165 છે. જેમાંથી 160 ની સ્થિતિ સ્થિર છે. જ્યારે પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. (AIR NEWS)