ગૃહમંત્રી અમિત શાહ આજે ચંદીગઢમાં 'નશીલા પદાર્થની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા' વિષય પર અંગેની એક કોન્ફરન્સને સંબોધિત કરશે. હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓ, ચંદીગઢના પ્રશાસક, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો- NCBના અધિકારીઓ તેમજ સંબંધિત રાજ્યોના નક્સલ વિરોધી ટાસ્ક
ફોર્સના વડાઓ અને નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર - (એન-કોર્ડ) પણ કોન્ફરન્સમાં હાજર રહેશે. આ પ્રથમ રાષ્ટ્રીય પરિષદ છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વિવિધ એન્ટી ડ્રગ એજન્સીઓ એક મંચ પર હશે. આ નરેન્દ્ર મોદી સરકારના દેશને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાનો સંકલ્પ દર્શાવે છે.આ કાર્યક્રમ દરમિયાન NCBની ટીમો દિલ્હી, ચેન્નાઈ, ગુવાહાટી અને કોલકાતા એમ ચાર સ્થળોએથી વીડિયો કોન્ફરન્સિંગ ધ્વારા ગૃહમંત્રીની સામે 30 હજાર કિલોથી વધુ નાર્કોટિક્સનો નિકાલ કરશે.આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત NCBએ 75 હજાર કિલો ડ્રગ્સનો નાશ કરવાનો સંકલ્પ કર્યો છે. એનસીબીએ આ વર્ષે 1 જૂનથી ડ્રગ નિયંત્રણ અભિયાન શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં તેની ટીમોએ 51 હજાર કિલોથી વધુ ડ્રગ્સનો નિકાલ કર્યો છે.આજે ગૃહમંત્રીની સામે 30 હજાર કિલોથી વધુ નાર્કોટીક્સનો નિકાલ કર્યા બાદ NCB તેના
લક્ષ્યાંકને વટાવીને કુલ 81 હજાર 686 કિલો નાર્કોટીક્સનો નિકાલ કરશે. જે નશા મુક્ત ભારતની લડતમાં મોટી ઉપલબ્ધિ છે. (AIR NEWS)