A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

તેલંગણાના કાકતીય રૂદ્વેશ્વર મંદિર મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ જાહેર કરાઈ

News

તેલંગણાના કાકતીય રૂદ્વેશ્વર મંદિર એટલે કે, રામાપ્પા મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ જાહેર કરાઈ છે.

યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સમીતીના ગઈકાલે મળેલા 44માં સત્રમાં આ નિર્ણય લેવાયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે તેલંગણા લોકોને અભિનંદન પાઠવતા કહ્યું કે, રામપ્પા મંદિર મહાન કાકતીય રાજવંશની ઉત્કૃષ્ટ શિલ્પકલાનો નમુનો છે.

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ પણ રામપ્પા મંદિરને હેરીટેજ સાઈટ જાહેર કરવા અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા તેલંગણાના લોકોને અભિનંદન પાઠવ્યા છે. (AIR NEWS)

997 Days ago