દેશમાં 18 વર્ષથી વધુ વયના નાગરિકોને સરકારી રસીકરણ કેન્દ્રો પર આજથી 75 દિવસ સુધી કોવિડનો બુસ્ટર ડોઝ વિનામૂલ્યે અપાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આ વિશેષ કોવિડ રસીકરણ અભિયાન આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે છે.
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગઈકાલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે 18 વર્ષથી વધુ વયના લોકોમાં બુસ્ટર ડોઝ લેનારની ટકાવારી આઠ ટકા જ છે, જયારે 60 વર્ષથી વધુ વયની વ્યક્તિઓની ટકાવારી 27 ટકા છે. જેને બીજા ડોઝ બાદ છ મહિના અથવા 26 અઠવાડિયા પૂર્ણ થયાં છે તેને આ ડોઝ અપાશે. (AIR NEWS)