દેશમાં ચાલી રહેલાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 42 કરોડ 78 નાગરીકોને કોવિડની રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 42 લાખ, 67 હજાર લોકોને કોવિડની રસી આપવામાં આવી હતી.
આ સમયગાળામાં કોવિડના 35 હજારથી વધુ દર્દીઓ સાજા થતાં, દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 97.35 ટકા થયો છે.
છેલ્લા 24 કલાકમાં કોવિડના 16 લાખ, 31 હજારથી વધુ પરિક્ષણો કરાતા, અત્યારસુધીમા કોવિડના 45 કરોડ 45 લાખથી વધુ પરિક્ષણો કરાયા છે. (AIR NEWS)