રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં 172 કરોડ 29 લાખથી વધુ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 46 લાખ 82 હજારથી વધુ ડોઝ અપાયા હતા. આ જ સમયગાળા દરમિયાન 50 હજારથી વધુ નવાં કેસ નોંધાયા છે.
જ્યારે એક લાખ 36 હજારથી વધુ દર્દીઓ સાજા થતાં કોવિડથી સાજા થવાનો દર વધીને 97.37 ટકા થયો છે. આ સાથે 14 લાખ 50 હજારથી વધુ કોવિડ પરિક્ષણો કરાયા છે. (IMPUT FROM AIR)