પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશમાં પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોના રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે, તથા દેશમાં કેટલાંક મહિનાઓમાં ત્રીસ કરોડ લોકોને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક છે.
ગઈકાલે વીડિયો કોન્ફરન્સથી દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં દેશમાં ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને રસી આપવામાં આવશે જેનો કોઈ આર્થિક બોજો રાજ્ય સરકાર ઉપર નહીં આવે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જેમને રસી અપાશે તેવા તમામ લોકોને રસી અપાઈ ગયાનું પ્રમાણપત્ર ડિજિટલ પ્લેટફોર્મ કો વિન ઉપરથી આપવામાં આવશે. (AIR NEWS)