A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ધોરણ-૧૦ અને ધોરણ-૧ર સીબીએસઇ બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે નહી

news

ધોરણ-૧૦ અને ધોરણ-૧ર સીબીએસઇ બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે નહી. શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે આ જાહેરાત કરતાકહયું કે કોવિડ રોગચાળાના પગલે સઘન ચર્ચા વિચારણા બાદ સરકારે ફેબ્રુઆરીમાં સીબીએસઇ-બોર્ડ પરીક્ષા નહી લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહયું કે પરીક્ષા માટેની નવી તારીખોટુંક સમયમાં જાહેર કરાશે.

બોર્ડ પરીક્ષાઓ અંગે દેશભરના અધ્યાપકો સાથે વીડીયો માધ્યમથી સંવાદ કરતા શ્રી પોખરીયાલએ આ મુજબ જણાવ્યું હતું.તેમણે કહયું કે ધોરણ-૧૦-૧ર સીબીએસઇ પરીક્ષાઓ મલતવી રાખવા અંગે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે ચર્ચા કર્યા બાદ સરકારે વિદ્યાર્થીઓના હિતમાંઆ નિર્ણય કર્યો છે.ધોરણ-૯ માં વ્યાવસાયીક શિક્ષણ અંગેના સુચન પર શ્રીનિશંકે કહયું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતી ર૦ર૦ અમલી થયા બાદ બે લાખ ૮૦ હજારથી વધુ માધ્યમી કસ્કુલો, ૪૦ હજાર જેટલી કોલેજો તથા એક હજારથી વધુ વિશ્વ વિદ્યાલયોમાં વ્યાવસાયિક શિક્ષણ આપી શકશે. (AIR NEWS)

1211 Days ago