A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

નર્મદા યોજના અને કડાણા યોજનામાંથી સિંચાઇ માટે અપાતું પાણી પાંચમી એપ્રિલ સુધી આપવાનો નિર્ણય.

News

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજય સરકારે ચાલુ સીઝનમાં નર્મદા યોજના અને કડાણા યોજનામાંથી સિંચાઇ માટે અપાતું પાણી વધુ ૨૦ દિવસ એટલે કે પાંચમી એપ્રિલ સુધી આપવાનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગૃહમાં આ જાહેરાત કરી હતી. ગૃહની બહાર પત્રકારોને માહિતી આપતા શ્રી પટેલે જણાવ્યુ હતું કે, ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે ધારાસભ્યશ્રીઓ, ખેડૂત આગેવાનો, કિસાન સંઘ દ્વારા કરાયેલી રજૂઆતના પગલે સરકારે આ નિર્ણય કર્યો છે. (AIR NEWS)

1492 Days ago