વાવાઝોડું - નિસર્ગપૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન નિસર્ગ વાવાઝોડું ઉત્તર દિશામાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, આ નિસર્ગ વાવાઝોડું આજે સાંજે 6 વાગ્યા પછી તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈને આજે મધ્ય રાત્રી થી આવતી કાલે સવાર સુધીમાં ઉત્તર મહારાષ્ટ્ર અને દમણ વચ્ચેના
દરિયા કાંઠાને ઓળંગે તેવી સંભાવના છે. હવામાન વિભાગના છેલ્લા બુલેટિન અનુસાર આ તીવ્ર ચક્રવાતી તોફાન નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર ના રાયગઢ જિલ્લાના અલીબાગ પાસે પ્રતિ કલાકના 100 થી 110 કિલોમીટરની પવનની ઝડપે ટકરાય તેવી શક્યતા છે. આ સમયે પવનની ઝડપ વધીને કલાકના 120 કિલોમીટર સુધી થઇ શકે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે નિસર્ગ વાવાઝોડાની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને દરિયાની ભરતીના પાણી આવે તેવી શક્યતા છે. (AIR NEWS)