ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ તેમને રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના ૪૯ મા મુખ્ય ન્યાયાધીશ તરીકે હોદૃો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
ન્યાયમૂર્તિ એન.યુ. રમણ ગઇકાલે પદ પરથી નિવૃત થયા. ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે તેમનું પદ ગ્રહણ કર્યુ.
અમારા સંવાદદાતા જણાવે છે કે ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિત ઓગષ્ટ ર૦૧૪ માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમાયા હતા. (AIR NEWS)