પશુપાલન અને ડેરી વિભાગે બર્ડ ફલુને વધુ ફેલાતો અટકાવવા માટે એવિયન ઇન્ફલુએન્ઝાથી અસરગ્રસ્ત રાજયો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. અત્યાર સુધીમાં સાત રાજયો – કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પક્ષીઓની આ બિમારી ફેલાવાની ખાતરી થઇ ચુકી છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયે એક નીવેદનમાં કહયું છે કે હરિયાણાના પંચકુલા જીલ્લાના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફલુના પોઝીટીવ સેમ્પલની ખાતરી થયા બાદ હરિયાણાએ નવ રેપીડ રીસ્પોન્સ ટીમોની રચના કરી છે અને નિયંત્રણ અભિયાન શરૂ કરી દીધુ છે.
ગુજરાતના સુરત અને રાજસ્થાનના સિરોહી જીલ્લામાં કાગડાઓ અને જંગલી પક્ષીઓમાંથી લેવાયેલા નમુનાઓમાં એવિયન ઇન્ફલુએન્ઝાની ખાતરી થઇ છે. હિમાચલ પ્રદેશના કાંગરા જીલ્લામાંથી પણ ૮૬ કાગડા અને બે બગલાના અસામાન્ય મોતના અહેવાલ મળ્યા છે.
મંત્રાલયે કહયું છે કે હિમાચલ પ્રદેશમાં નાહન, બિલાસપુર અને મંડીમાં પક્ષીઓની અસામાન્ય મોતના અહેવાલ મળ્યા છે અને તેમના નમુના પરીક્ષણ માટે સંબંધિત પ્રયોગશાળાઓમાં મોકલી દેવાયા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી મોકલાયેલા નમુનાઓના પરીક્ષણના અહેવાલ આવવાના બાકી છે.
મંત્રાલયે કહયું કે છતીસગઢના બાલોદ જીલ્લાના જંગલી પક્ષીઓના સંક્રમિત થવાની ખાતરી પહેલા જ થઇ ચુકી છે. કેરળના બર્ડ ફલુથી અસરગ્રસ્ત જીલ્લાઓમાં તેના નિયંત્રણના ઉપાય કરી દેવાયા છે અને રાજયએ તે પછી સર્વેલન્સ કાર્યક્રમ માટે દિશા નિર્દેશ બહાર પાડી દીધા છે.
દેશભરમાં બર્ડ ફલુથી અસરગ્રસ્ત રાજયોમાં સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર ધ્વારા રચાયેલી ટીમો જે તે વિસ્તારોની મુલાકાત લઇ રહી છે. એક કેન્દ્રીય દળ ગઇકાલે કેરળ પહોચ્યું અને વધુ તપાસ કરી રહયું છે. અન્ય એક કેન્દ્રીય દળ આજે હિમાચલ પ્રદેશ પહોચ્યું અને પ્રભાવિત વિસ્તારોનું સર્વેક્ષણ કર્યુ.
મંત્રાલયે કહયું છે કે રાજયોને અનુરોધ કરાયો છે કે તેઓ લોકોને બર્ડ ફલુ અંગે અફવાઓથી બચવા અને તેમને જાગૃત કરવા પગલા લે.
રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તળાવો, સરોવરો, નદીઓ, જીવીત પક્ષી બજારો, પ્રાણી સંગ્રહાલયો અને પોલ્ટ્રી ફાર્મોની આસપાસ જાપ્તો અને સર્વેક્ષણ વધારવા કહેવાયું છે તથા મૃત પક્ષીઓના યોગ્ય (AIR NEWS)