પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, પાડોશી દેશોને અગ્રતા આપવાની ભારતની મૈત્રીપૂર્ણ નીતિમાં બાંગ્લાદેશ મહત્વનું સ્થાન ધરાવે છે અને તેમની સરકારે બાંગ્લાદેશ સાથેના સંબંધો મજબૂત બનાવવાને ટોચની અગ્રતા આપી છે.
આજે ભારત અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીઓની શિખર બેઠકમાં શ્રી મોદી બોલી રહ્યા હતા. તેમણે કોવિડના કપરાકાળમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દવાઓ, તબિબિ ઉપકરણો તથા તબિબો વચ્ચેના સહકાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આરોગ્ય ક્ષેત્ર ઉપરાંત સરહદ પારના વેપારને નડતા અવરોધો દૂર કરીને બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવ્યા છે.
આ શિખર બેઠકની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ બંગબંધુ – બાપુ ડિજીટલ પ્રદર્શનનું સાથે મળીને ઉદઘાટન કર્યું હતું.
એવી જ રીતે બંને આગેવાનોએ ચીલહાટી-હલ્દીબારી રેલવે માર્ગનું પણ સાથે મળીને ઉદઘાટન કર્યું હતું. (AIR NEWS)