A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને સપાના નેતા બેની પ્રસાદ વર્માનું નિધન

News

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના નેતા બેની પ્રસાદ વર્માનું શુક્રવારે લખનઉમાં નિધન થયું હતું. વર્માનો જન્મ 11 ફેબ્રુઆરી, 1941 ના રોજ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં સિરાઉલીમાં થયો હતો.

તેઓ સમાજવાદી પાર્ટીના સ્થાપક સભ્ય હતા. 1996 માં, વર્મા સંદેશાવ્યવહાર માટે સ્વતંત્ર રાજ્ય પ્રધાન બન્યા. તેમને સંસદીય બાબતોના રાજ્યમંત્રીનો હવાલો પણ સોંપાયો હતો. વર્મા 1996 થી 2014 સુધી લોકસભાના સભ્ય હતા.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન બેની પ્રસાદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેમના વિચારો મૃતક નેતાના પરિવાર અને સમર્થકો સાથે છે. (IMPUT FROM AIR)

1482 Days ago