A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

પ્રધાનમંત્રી 31મી મે ના રોજ આકાશવાણી પરથી 'મન કી બાત' કાર્યક્રમમાં તેમના વિચારો રજૂ કરશે.

News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર 31મી મે ના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનની બધી જ ચેનલો ઉપરથી પ્રસારિત કરાશે. મન કી બાત કાર્યક્રમની આ 65મી કડી હશે,
શ્રી મોદી સવારે 11 વાગ્યે તેમના વિચારો હિંદીમાં વ્યકત કરશે, ત્યારબાદ તરત તેનો ગુજરાતી ભાવાનુવાદ પ્રસારીત કરાશે. જે ગુજરાતનાં તમામ આકાશવાણી અને વિવિધ ભારતી એફ.એમ કેન્દ્રો પરથી સાંભળી શકાશે.
રવિવારે 31મી એ રાત્રે 8 વાગ્યે આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે. (AIR NEWS)

1417 Days ago