પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવાર 7મી એપ્રિલે યોજાનાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરશે. કોવિડના લીધે ઉભી થયેલ પરિસ્તિથીના કારણે 7મી એપ્રિલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ સાંજે 7 વાગ્યે વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાશે.ટ્વીટર ઉપર આ માહિતી આપતા શ્રી મોદીએકહ્યું કે આ વખતેનો કાર્યક્રમ નવા સ્વરૂપમાં યોજાશે અને તેમાં વિવિધ મુદ્દાઓ અંગે રસપ્રદ સવાલોનો સમાવેશ કરાશે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવથી મુક્ત કરવા માટે યોજવામાં આવે છે. (AIR NEWS)