A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠકનું ઉદઘાટન કરશે.

News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભાજપ મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય
પદાધિકારીઓની બે દિવસીય બેઠકનું ઉદઘાટન કરશે. મોદી પણ પદાધિકારીઓને
સંબોધન કરશે તથા માર્ગદર્શન આપશે.
ભાજપના નિવેદન મુજબ પ્રધાનમંત્રી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ
ખાતે મતદાન કર્યા બાદ આ બેઠકમાં હાજરી આપવા નવી દિલ્હી પહોંચશે. આ બેઠકની
અધ્યક્ષતા શ્રી જે.પી. નડ્ડા કરશે.
આ બેઠકમાં આગામી વર્ષે કેટલાંક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની
તૈયારીઓની સમીક્ષા સાથે પક્ષની ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરાશે. ઉપરાંત બૂથ
સમિતિથી લઈ પક્ષની વિવિધ સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરાશે. (AIR NEWS)

498 Days ago

Video News