પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બાંગ્લાદેશનાં ઢાકા ખાતે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામનાં શહિદ વીરોને અંજલી આપી છે.
બાંગ્લાદેશની બે દિવસની સત્તાવાર મુલાકાતે ઢાકાનાં હઝરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે પહોંચ્યા બાદ શ્રી મોદી રાષ્ટ્રીય શહિદ સ્મારક પહોંચ્યા હતાં.
વિમાન મથકે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના એ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતનાં રાષ્ટ્ર ગીતની ઘૂન વગાડવામાં આવી હતીં.
આમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી આજે લધુમત્તી સમુદાયનાં પ્રતિનિધીઓ સાથે સંવાદ કરશે. ત્યાર પછી આજે બપોરે પરેડ મેદાન ખાતે રાષ્ટ્રીય દિવસની ઉજવણીનાં સમારોહમાં ઉપસ્થિત રહેશે.
ગઈકાલે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ પત્રકારોને જણાવ્યું હતું કે, કોવિડ બાદ શ્રી મોદીની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા છે. આ બાબત ભારત બાંગ્લાદેશના સંબંધોને કેટલું મહત્ત્વ આપે છે તે વાત પૂરવાર કરે છે. (AIR NEWS)