કેન્દ્ર સરકારે દેશભરમાં બંધાઈ રહેલી અને બંધાનારી નવી એઈમ્સ ખાતે દર્દીઓના પરિવારજનો માટે રાત્રિ વિશ્રામ સ્થાનોની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતેની એઈમ્સ સંકુલમાં આવેલી રાષ્ટ્રીય કેન્સર સંસ્થા ખાતે વિશ્રામ સદનનો શિલાન્યાસ કરતા આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, કેન્સરની સારવાર લેતા દર્દીના પરિવારજનો માટે વિશ્રામની આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેનો લાભ દિલ્હી ઉપરાંત આસપાસના રાજ્યોમાંથી આવનાર દર્દીઓના પરિવારજનોને મળી રહેશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર અને કોર્પોરેટ ક્ષેત્રના સંયુક્ત પ્રયાસરૂપે સ્થપાયેલી આ સંસ્થા આરોગ્ય સંભાળ ક્ષેત્રે નાગરિકોને નવીન અને વધુ સુવિધા પુરી પાડશે. શ્રી મોદીએ કહ્યું કે, તેમની સરકાર દેશના નાગરિકોને આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી માળખાકીય સુવિધા આપવા પ્રયાસ કરી રહી છે. (AIR NEWS)