મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના સેલસૂરામાં થયેલા અકસ્માતમાં મેડિકલ કોલેજના સાત વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. ઝડપથી જઈ રહેલી કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં કાર બ્રીજ સાથે અથડાઈને 40 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. મૃત્યુ પામનાર સર્વાંગી વર્ધાના દત્તા મેઘે મેડિકલ કોલેજના MBBSના વિદ્યાર્થીઓ હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓ પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તો ઝડપી સાજા થાય તે માટે આશા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટમાં માધ્યમથી અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી બે લાખ રૂપિયાની સહાય તથા ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. (AIRNEWS)