પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘનો મૂડીરોકાણ પ્રોત્સાહન પુરસ્કાર જીતવા બદલ રાષ્ટ્રીય મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી – ઇન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન આપ્યા છે.શ્રી મોદીએ કહ્યું કે, તેમની સરકારે ભારતમાં વેપાર ઉદ્યોગ માટે અનૂકુળ વાતાવરણ સર્જવા તથા ભારતને મૂડીરોકાણનું કેન્દ્ર બનાવવા લીધેલાં પગલાંને આ આંતરરાષ્ટ્રીય પુરસ્કારે સાર્થક ઠરાવ્યા છે.રાષ્ટ્રસંઘની વેપાર અને વિકાસ પરિષદ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. (AIR NEWS)