બાંગ્લાદેશ આજે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહયું છે. પ્રધાનમંત્રી શેખ હસીનાએ આ પ્રસંગે લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના વિચારોથી પ્રેરિત ગરીબી અને ભુખથી મુકત સ્માર્ટ સ્વર્ણિમ બાંગ્લાદેશનું નિર્માણ કરવાના શપથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશે ર૩ વર્ષના સંઘર્ષ પછી બંગબંધુના નેતૃત્વમાં આઝાદી હાંસલ કરી હતી. ૧૯૭૧ ની ર૬ માર્ચે બંગબંધુ શેખ મુજીબુર રહેમાને પાકિસ્તાની સેના ધ્વારા તેમની ધરપકડ પહેલા બાંગ્લાદેશની આઝાદીની જાહેરાત કરી હતી.
આજે ઉજવણીની શરૂઆતમાં રાષ્ટ્રપતિ એમ.અબ્દુલ હમીદ અને પ્રધાનમંત્રી શેખ હસીનાએ ઢાકા નજીક સાવર ખાતેના રાષ્ટ્રીય શહીદ સ્મારક પર પુષ્પાંજલીથી કરી હતી. બાદમાં સંસદના અધ્યક્ષ ડોકટર શીરીન ચૌધરી સહિત અને અગ્રગણ્ય મહાનુભાવોએ પણ શહીદોને અંજલી આપી હતી.
એ અગાઉ પ્રધાનમંત્રી શેખ હસિનાએ સ્વતંત્ર્ય દિવસની પુર્વ સંધ્યાએ કરેલી રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રસંઘ સહિત વિશ્વ સમુદાયને રપ માર્ચને આંતરરાષ્ટ્રીય નરસંહાર દિવસ જાહેર કરવાનો અનુરોધ કર્યો હતો.
એવો અંદાજ છે કે પાકિસ્તાની લશ્કરે માર્ચ રપ થી ૧પ ડિસેમ્બર ૧૯૭૧ વચ્ચેના નવ મહિનાના સમયગાળામાં ૩૦ લાખથી વધુ લોકોની હત્યા કરી હતી. બીજી એક કરોડથી વધુ લોકોએ ભારતમાં શરણ લીધુ હતું. ત્યાર પછી ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને શરણે થવાની ફરજ પાડી હતી. (AIR NEWS)