શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે અને પાર્ટીના અન્ય નેતાઓએ આજે મુંબઇના શિવાજી પાર્કમાં શિવસેનાના સંસ્થાપક નેતા બાલાસાહેબ ઠાકરેને તેમની સાતમી પુણ્યતીથી પર શ્રધ્ધાંજલી અર્પણ કરી. ભાજપ નેતા નીતીન ગડકરી, દેવેન્દ્ર ફડનવીસ અને અન્ય લોકોએ પણ બાલાસાહેબને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે શિવસેના ધ્વારા દાદરમાં આવેલા શિવાજી પાર્કમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. (AIR NEWS)