ભારતીય રિઝર્વ બેન્કે આંતરરાષ્ટ્રીય વેપાર હેતુથી કરાતી ચૂકવણી ભારતીય રૂપિયામાં કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. રિઝર્વ બેન્કે ભારતીય ચલણમાં આયાત અને નિકાસના ચલણ, ચૂકવણી માટે આ વધારાની વ્યવસ્થા શરૂ કરી છે.
વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવું અને ભારતીય ચલણમાં વ્યવહાર કરવામાં વૈશ્વિક વેપાર સમુદાયને મદદરૂપ થવા આ વ્યવસ્થા શરૂ કરાઈ છે. આ પ્રક્રિયા લાગુ કરતાં પહેલાં અધિકૃત બેન્કોને રિઝર્વ બેન્કના વિદેશી ચલણ વિભાગ પાસેથી મંજૂરી મેળવવી જરૂરી છે (AIR NEWS)