ભારતીય રિઝર્વ બેન્કે પોતાની નાણાનીતિ સમિતીની વધારાની બેઠક ત્રીજી નવેમ્બરે બોલાવી છે.
તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ મુજબ ગત સપ્ટેમ્બરમાં ભારતના ફુગાવાનો દર વધીને 7.41 ટકા થયો છે. ત્રીજી નવેમ્બરે યોજાનારી બેઠકમાં ફુગાવાના દરમાં થયેલો વધારો અને તેને અંકુશમાં લેવા શું કરવું જોઇએ એ અંગે સર્વગ્રાહી વિચારણા થશે.
ઉલ્લેખનીય છે કે, ગત 28 થી 30મી સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી નાણાનિતી સમિતીની બેઠકમાં રેપોરેટમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરીને આ રેટ 5.9 ટકા કરવામાં આવ્યો હતો. (AIR NEWS)