ભારતીય સેનાએ સફળતા પૂર્વક કરેલ સર્જીકલ સ્ટ્રાઇકને આજે છ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2016માં આજના દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવેલા આતંકવાદી શિબિરો ઉપર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી.
ઊરીમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં સેનાના 18 જવાનો શહિદ થયા હતા ત્યારબાદ 11 દિવસ પછી સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા પ્રતિભાવ આપ્યો હતો. આ પ્રતિભાવ દ્વારા ભારતે સંબંધિતોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, જરૂર પડે તો સરહદ પાર કરીને પણ હુમલો કરાશે. (AIR NEWS)