ભુકંપગ્રસ્ત તુર્કીયેમાં ઓપરેશન દોસ્ત કાર્યક્રમ હેઠળ બચાવ અને રાહત કાર્ય માટે ગયેલી ભારતની રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRF ની છેલ્લી ટુકડી સ્વદેશ પરત આવી ગઇ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ ટવીટ સંદેશમાં આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે એનડીઆરએફના જવાનો અને શ્વાનોની ટુકડીએ તુર્કીયેના ભુકંપ પીડીત વિસ્તારોમાં નોંધપાત્ર મદદ કરી હતી. આ ટુકડીઓએ કાટમાળમાં દટાયેલા લોકોને શોધવાની, બચાવવાની અને રાહત કામગીરી બજાવી હતી. તુર્કીયેના નુર્દાંગી અને અંટાકયા વિસ્તારોમાં કુલ ૩પ સ્થળો સહિત અનેક સ્થળે એનડીઆરએફ એ આ કામગીરી બજાવી હતી. (AIR NEWS)